શનિવાર, 13 મે, 2023

 


DATE : 25/8/2020 ભાગ – ૪   
 
“ હું ભવિષ્યનો વિચાર કરતો નથી કારણ કે હું વિચાર કરું એ પહેલા તે આવી જાય છે”    – આઈનસ્ટાઈન    
 
ધ્વનિ હન્મેશા પાણી , હવા કે બીજા કોઇ માધ્યમની સાપેક્ષે ગતિ કરતો હોય છે.
ધ્વનિ એટલે જ અવાજ....
પ્રકાશને આવી સાપેક્ષતા લાગુ પડતી નથી .માટે તે નિરપેક્ષ રહીને એકધારી ઝડપે પ્રવાસ કરે છે.  આ બધુ સમજવા માટે સૌ પ્રથમ આપણે સર આઈઝેક ન્યૂટનના ગતિના ત્રણ નિયમો અને ગુરુત્વાકર્ષણ બળ વિશે સમજવુ પડશે.  
   ગુરુત્વાકર્ષણનો  સાર્વત્રિક નિયમ : 
“ વિશ્વનો    નો  પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે.  બે  પદાર્થો  વચ્ચેનુ આ આકર્ષણબળ  તેમના દળના ગુણાકારના સમપ્રમાણમા અને  તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્તપ્રમાણમા હોય છે. આ બળની દિશા બન્ને પદાર્થોને જોડતી રેખાની દિશામા હોય છે “
      F=G m1m2/r2    જ્યા F = ગુરુત્વાકર્ષણ બળ , G = ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક                  , m1 = પ્રથમ પદાર્થનુ દ્રવ્યમાન ,  m2= બીજા પદાર્થનુ દ્રવ્યમાન  સાદી ભાષામા  કહુ તો સૂર્યની આજુબાજુ ૮ (પ્લૂટો હવે ગ્રહ નથી )  ગ્રહો   સૂર્યના  ગુરુત્વાકર્ષણ બળને લીધે ભ્રમણ કરે છે.  તેવિ જ રીતે પ્રુથ્વી પર પાણી ગુરુત્વાકર્ષણ બળ ને લીધે ટકી રહ્યુ છે,  પ્રુથ્વી પરથી અવકાશમા મોકલેલ કુત્રીમ ઉપગ્રહો , પૃથ્વીની ભ્રમણ કક્ષાઓમા ભ્રમણ કરે છે . તે પ્રુથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે ભ્રમણ  કરે છે.  વધુ  આવતી કાલે મનન કરજો....તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...