DATE : 25/8/2020 ભાગ – ૪
“ હું ભવિષ્યનો વિચાર કરતો નથી કારણ કે હું વિચાર કરું એ પહેલા તે આવી જાય છે” – આઈનસ્ટાઈન
ધ્વનિ હન્મેશા પાણી , હવા કે બીજા કોઇ માધ્યમની સાપેક્ષે ગતિ કરતો હોય છે.
ધ્વનિ એટલે જ અવાજ....
પ્રકાશને આવી સાપેક્ષતા લાગુ પડતી નથી .માટે તે નિરપેક્ષ રહીને એકધારી ઝડપે પ્રવાસ કરે છે. આ બધુ સમજવા માટે સૌ પ્રથમ આપણે સર આઈઝેક ન્યૂટનના ગતિના ત્રણ નિયમો અને ગુરુત્વાકર્ષણ બળ વિશે સમજવુ પડશે.
ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ :
“ વિશ્વનો નો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનુ આ આકર્ષણબળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમા અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્તપ્રમાણમા હોય છે. આ બળની દિશા બન્ને પદાર્થોને જોડતી રેખાની દિશામા હોય છે “
F=G m1m2/r2 જ્યા F = ગુરુત્વાકર્ષણ બળ , G = ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક , m1 = પ્રથમ પદાર્થનુ દ્રવ્યમાન , m2= બીજા પદાર્થનુ દ્રવ્યમાન સાદી ભાષામા કહુ તો સૂર્યની આજુબાજુ ૮ (પ્લૂટો હવે ગ્રહ નથી ) ગ્રહો સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે ભ્રમણ કરે છે. તેવિ જ રીતે પ્રુથ્વી પર પાણી ગુરુત્વાકર્ષણ બળ ને લીધે ટકી રહ્યુ છે, પ્રુથ્વી પરથી અવકાશમા મોકલેલ કુત્રીમ ઉપગ્રહો , પૃથ્વીની ભ્રમણ કક્ષાઓમા ભ્રમણ કરે છે . તે પ્રુથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે ભ્રમણ કરે છે. વધુ આવતી કાલે મનન કરજો....તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો