શનિવાર, 13 મે, 2023

 


                                                           જનરલ થીયરી ઑફ રીલેટીવિટી   

ગુરુત્વાકર્ષણ બળનો નિયમ – વજન એટલે શું ? કોઈપણ પદાર્થ  પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે વજન. અને દળ એટલે શું ? પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો. માનો કે ગુરુત્વાકર્ષણ બળ નથી તો વજન નથી. “ જનરલ થીયરી ઑફ રીલેટીવિટી “ મા ગુરુત્વાકર્ષણ બળ વિશે ચર્ચા થઈ. સમય,પ્રકાશ વગેરે વિશે  “ સાપેક્ષવાદ” રજૂ થયો હતો. પણ એક વાતની કચાશ રહી ગઈ... અને તે બાબત હતી “ગુરુત્વાકર્ષણ બળ “ તે કચાશ “ જનરલ થીયરી ઑફ રીલેટીવિટી “ આલ્બર્ટ આઈનસ્ટાઈને 10 વર્ષ પછી પૂર્ણ કરી... આઈનસ્ટાઇને 1905મા જે સાપેક્ષવાદ દુનિયા સમક્ષ રજૂ કર્યો હતો...તે થીયરી 24 કેરેટના સોના સમાન હતી. છતા, આ  થીયરીમા ગુરુત્વાકર્ષણબળ કેંદ્રસ્થાને ન હતુ. પરંતુ પ્રકાશ કેંદ્રસ્થાને હતો.એટલે ગુરુત્વાકર્ષણ બળની અધૂરી કચાશ પૂરી કરવા 1915 મા આલ્બર્ટ આઈનસ્ટાઇને  “ ગુરુત્વાકર્ષણ બળ “ ને  કેંદ્રસ્થાને રાખી  “ જનરલ થીયરી ઑફ રીલેટીવિટી “ રજૂ કરી.  

           


વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...