ભાગ – 40 05/12/2020
જનરલ થીયરી ઑફ રીલેટીવિટી
ન્યૂટનને “ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ “ આપ્યો.ગુરુત્વાકર્ષણબળ શુ છે ? એક પદાર્થ બીજા પદાર્થને જકડી રાખે છે. તે જ છે ગુરુત્વાકર્ષણ બળ.પણ સવાલ છે કે “ ગુરુત્વાકર્ષણ બળ છે ? “ અમેરિકાના વૈજ્ઞાનિકોએ ગુરુત્વાકર્ષણ બળના તરંગો શોધી કાઢ્યા છે. સાચું કોણ છે ? ન્યૂટન કે આઈનસ્ટાઈન ? આપણે તો પુસ્તકોમાં માત્ર “ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ “ જ શીખ્યા છીએ. ઉદા. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળથી જ પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. જ્યારે પૃથ્વીનાં ગુરુત્વાકર્ષણ બળથી ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ કહેવાય. શું કદાચ પૃથ્વી અદ્રશ્ય થઇ જાય તો ? ઘણા સવાલો છે. “ મોટા સવાલોના જવાબ નાના હોય છે, એટલે વિજ્ઞાન. અને મોટા દાખલાઓના જવાબ -1 ની +1 ની વચ્ચે આવે તેનું નામ ગણિત. “ ન્યૂટનને સફરજનના ઝાડ નીચે બેસીને જ્યારે “ ગુરુત્વાકર્ષણ બળ “ નો વિચાર આવ્યો. ન્યૂટનને સ્વપ્નેય ખબર નહી હોય કે 200 વર્ષ પછી મારા આ નિયમનો તોડ લાવનારું પ્રતિભાશાળી મગજ આલ્બર્ટ આઈનસ્ટાઈન નામે જન્મ લેશે. ન્યૂટને “ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ “ આપ્યો ખરો પણ પોતે બરાબર સમજી ન શક્યા અને સમજાવી ન શક્યા.
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો