શનિવાર, 13 મે, 2023

 તા.26/8/2020 ભાગ – 5 



ન્યૂટનનો જન્મ 25 ડીસેમ્બર, 1642 મા થયો હતો જયારે  આધુનિક વિજ્ઞાન જગતના મહાન ખેલાડી   આલ્બર્ટ આઈનસ્ટાઈનનો જન્મ 14 માર્ચ 1879 મા થયો હતો. અરેરે ૨૦૦+ વર્ષનો તફાવત. તમે વિચારતા હશો કે મહાન ખેલાડીને વિજ્ઞાન જગતના તે જ સમયના મેક્સ પ્લાંક, જેમ્સ જૂલ,મેરી ક્યૂરી ,જે.જે.થોમ્સન જેવા મહાન વૈજ્ઞાનિકોની સાયંટીફીક બેટીંગનો સાથ મળ્યો હશે.  તો જવાબ છે.  ના.. ના... ના...  કારણ કે આલ્બર્ટ આઈનસ્ટાઈને  પોતાનો એક નવો  ચિલો પાથર્યો હતો. આ નવો રસ્તો “ સાપેક્ષવાદ”ની થિયરી હતી જેને છેક છેક સુધી આલ્બર્ટ આઈનસ્ટાઈન સિવાય કોઈ વૈજ્ઞાનિકને લેવા દેવા ના હતો.           

ન્યૂટનની ગતિના ત્રણ નિયમો છે. (૧) ન્યૂટનની ગતિનો  પ્રથમ  નિયમ .“જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્યબળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય, તો સ્થિર અવસ્થામાં રહે છે અને અચળવેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળવેગી ગતિ ચાલુ રાખે છે.”   

 (2)  ન્યૂટનની ગતિનો બીજો નિયમ : 

 “પદાર્થના વેગમાનમા  થતા ફેરફારનો સમય-દર તેના પર લાગતા  પરિણામી બાહ્યબળના સમપ્રમાણમા  હોય છે.

(3) ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ:

આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરૂધ્ધ દિશામા હોય છે. 

    આ ન્યૂટનની ગતિના ત્રણેય નિયમો,ગુરુત્વાકર્ષણબળ અને સાપેક્ષવાદ નો  ખરેખર જંગ હવે જામવાનો છે.

             ખરેખર ન્યૂટન VS આલ્બર્ટ આઈનસ્ટાઈન  છે.  વધુ  આવતી કાલે મનન કરજો....  THE MATCH BETWEEN Newton VS EINSTIEN    THINK ABOUT THIS ……. WHO WILL WIN    ???????  વધુ  આવતી કાલે મનન કરજો....તમારા ફીડબેક આવકાર્ય છે..


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...