મંગળવાર, 30 મે, 2023

                                                     .........તત્વો  વિષે જાણકારી......... 

1...હાઈડ્રોજન:-- આવર્તકોષ્ટકમાં પ્રથમ ક્રમનું  તત્વ છે..આ તત્વ અધાતુ છે...તેનો પરમાણુંભાર 1  છે..   આ તત્વ વાયુ સ્વરૂપે છે..હાઇડ્રોજન ભવિષ્યનો ઉર્જાસ્ત્રોત છે...હાઇડ્રોજન અને ઓક્સિજન ના સંયોજનથી પાણી બને છે...પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 1:8 હોય છે..હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો પ્રોટીયમ,ડ્યૂટેરીયમ(D)  અને  ટ્રીટીયમ(T)...છે.. ડ્યૂટેરીયમ બનાવનાર વૈજ્ઞાનિકો યુરે,બ્રીકવદે અને મર્ફી(1931)..લેબોરેટરીમાં ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસીડની પ્રક્રીયાથી હાઇડ્રોજન બને છે...

ભૌતિક ગુણધર્મો:--૧. તે રંગહીન,સ્વાદહીન છે..2..તે હવા કરતાં હલકો અને પાણીમાં અદ્રાવ્ય છે..તેનું ગલન બિંદુ  13.96 K અને ઉત્કલનબિંદુ 20.39 K 3..તેની ઘનતા 0.09 gL (ગ્રામ/લીટર)

હાઇડ્રોજનથી બનતા સંયોજનો.....પાણી (H2O), ભારે પાણી (D2O), હાઇડ્રોજન પેરોક્સાઈડ(H2O2 )

 

2...હિલીયમ:- હિલીયમ આવર્ત કોષ્ટકમાં બીજા ક્રમનું તત્વ છે...આ તત્વ નિષ્ક્રિય સમૂહ એટલે 18માં સમૂહનું તત્વ છે..હિલીયમ વાયુ સ્વરૂપે છે...તેનો પરમાણુંભાર 4 છે..તેના શોધક લોક્યર અને જન્સિન...બ્રહ્માંડમાં બીજા નંબરનું સૌથી વિશાળ તત્વ છે..હવામાન વિભાગમાં હવામાન વિષેની જાણકારી માટે બલૂનમાં હિલીયમ ભરવામાં આવે છે ..હિલીયમ અને ઓક્સિજનનું મિશ્રણ ધરાવતા બોટલનો ઉપયોગ  દરિયામાં તરવૈયા ઓક્સિજન લેવા માટે કરે છે...અસ્થમા દર્દીઓ શ્વસન માટે આ મિશ્રણનો ઉપયોગ કરે છે... 

 

3...લીથીયમ:- આવર્તકોષ્ટકમાં ત્રીજા નંબરનું તત્વ છે...પરમાણુંભાર 6 છે...લીથીયમ ધાતુ તત્વ છે...લીથીયમ આલ્કલી ધાતુ છે....લીથીયમ ધાતુ સેલ બનાવવા માટે થાય છે..લીથીયમની સંજ્ઞા Li  છે.. 

    . 

4...બેરેલીયમ:- આવર્તકોષ્ટકમાં ચોથા નંબરનું તત્વ છે..પરમાણુંભાર 4 છે...બેરેલીયમ ધાતુ તત્વ છે..બેરેલીયમ ધાતુની સંજ્ઞા Be છે..  


5...બોરોન: આવર્તકોષ્ટકમાં પાંચમાં નંબરનું તત્વ છે...પરમાણુંભાર 5 છે..બોરોન ધાતુ છે...બોરોનની સંજ્ઞા B છે...બોરોનની ઈલેક્ટ્રોન રચના (2,3) છે.. બોરોન બાહ્ય કક્ષામાંથી ત્રણ  ઈલેક્ટ્રોન ગુમાવીને  ધનાયન બને છે..  


6...કાર્બન:-- આવર્તકોષ્ટકમાં 6 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 12 છે,,,કાર્બન અધાતુ છે...કાર્બન ખૂબ જ ઉપયોગી તત્વ છે...ઓર્ગેનિક રસાયણશસ્ત્રનો પાયો કાર્બન છે..તે હીરા,ગ્રેફાઈટ અને કોલસાનું મુખ્ય તત્વ છે...તે ધાત્વીય કાર્બોનેટમાં,પ્રોટીન્સમાં,કાર્બોહાઈડ્રેટસમાં,હાઈડ્રોકાર્બન્સ, કાર્બન ડાયોક્સાઈડ(CO2 , 0.03% ) હવામાં અને બીજા સંયોજનોમાં હાજર છે...કાર્બનના ત્રણ સમસ્થાનિકો 126C,136C, 146C છે... 146C રેડીઓએક્ટીવ સમસ્થાનિક છે..તે અવશેષોની ઉંમર જાણવા માટે ઉપયોગિ છે….કાર્બન હાઇડ્રોજન સાથે અને કાર્બન સાથે એકલ બંધથી,દ્વિ બંધથી તથા ત્રિબંધથી જોડાય છે...આમ કાર્બન અસંખ્ય સંયોજનો બનાવે છે..આ ગુણધર્મને કેટેનેશન કહેવાય છે..


7...નાઈટ્રોજન:-- આવર્તકોષ્ટકમાં 7 નંબરનું તત્વ છે..પરમાણુંભાર 14 છે..નાઈટ્રોજન અધાતુ તત્વ છે..વાયુ સ્વરૂપે છે.. નાઈટ્રોજન તટસ્થ વાયુ છે...ડી.રૂથરફોર્ડ શોધક છે..(1772)..વાતવરણમાં પ્રમાણ 78% છે...પ્રોટીનનો મુખ્ય ઘટક નાઈટ્રોજન છે..પ્લાન્ટ અને વનસ્પતિ જમીનમાં રહેલાં નાઈટ્રેટ ક્ષાર સ્વરૂપે નાઈટ્રોજન લે છે..યુરિયા ખાતરમાં 46% નાઈટ્રોજન છે....તેના ત્રણ સમસ્થાનિકો છે..ઉદ્યોગોમાં હવાના  પ્રવાહીકરણ અને વિભાગીય નીસ્યંદનથી બનાવાય છે...ગુણધર્મો:-- 1. તે રંગહીન,સ્વાદહીન અને બિનઝેરી વાયુ છે..


8...ઓક્સિજન:--આવર્તકોષ્ટકમાં 8 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 16 છે....શોધક સ્વીડન વૈજ્ઞાનિક શીલે (1772)     અને એન્ટોની લેવોસીયેર દ્વારા 1977માં નામ આપવામાં આવ્યું...પૃથ્વીની સતહમાં 46.6% દળ છે...કદના પ્રમાણમાં 20.946% સૂકી હવામાં છે..વાતાવરણીય ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા છે…ગુણધર્મો:-- ઓક્સિજન એ રંગહીન,સ્વાદહિન છે...ઠંડો કરતાં ઓક્સિજન  ઘેરા ભૂરા પ્રવાહીમાં ફેરવાય છે..તે દહનપોષક છે..તે પોતે સળગતો નથી... 


9...ફ્લોરીન:- આવર્તકોષ્ટકમાં 9 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 18 છે...ફ્લોરીન હેલોજન સમૂહનું તત્વ (17મો સમૂહ) છે...ફ્લોરીન બાહ્યતમ કક્ષાનો એક ઈલેક્ટ્રોન મેળવીને  F-  બનાવે છે...આમ ફ્લોરીન ઋણાયન બનાવે છે..


10...નિયોન:- આવર્તકોષ્ટકમાં 10  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 20  છે..નિયોન એ નિષ્ક્રિય સમૂહનું તત્વ છે..18 મો સમૂહ નિષ્ક્રિય તત્વોનો સમૂહ છે..નિયોન વાયુ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોવાથી લેમ્પમાં ભરવામાં આવે છે...નિયોનની ઈલેક્ટ્રોન રચના (2,8,1) છે...નિયોન વાયુ નિષ્ક્રિય વાયુ હોવાથી  કોઈપણ પ્રકારના રાસાયણિક સંયોજનો બનાવતું નથી..      

                               

11...સોડીયમ:-આવર્તકોષ્ટકમાં 11 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 23.5 છે..સોડીયમ ધાતુ ભેજવાળી હવા સાથે સળગી ઉઠે છે...તથા સોડીયમ પાણીમાં નાખતાં સળગી ઉઠે છે.....સોડીયમને કેરોસીનમાં રાખવામાં આવે છે...સોડીયમની ઈલેક્ટ્રોન રચના (2,8,1) છે..તથા સોડીયમ અને ક્લોરીન તત્વો ના સંયોજનથી મીઠું બને છે..મીઠાનું રાસાયણિક નામ સોડીયમ ક્લોરાઈડ છે...સોડીયમ આલ્કલી ધાતુ છે..સોડીયમની સંજ્ઞા Na છે....

સોડિયમના ઉપયોગો:--૧.ન્યુક્લીઅર રિએકટરમાં મંદક તરીકે(પ્રવાહી) ૨.સંશ્લેષિત પ્રક્રિયામાં 

સોડીયમના સંયોજનો:-- સોડીયમ કલોરાઈડ (NaCl),સોડીયમ હાઈડ્રોક્સાઈડ (NaOH),સોડીયમ કાર્બોનેટ ( Na2CO3),સોડિયમ બાયકાર્બોનેટ ( NaHCO3 ), સોડીયમ થાયોસલ્ફેટ ( Na2S2O3.5H2O),માઈક્રોકોસ્મિક સોલ્ટ ( Na(NH4)HPO4.4H2O )

                               

12...મેગ્નેશિયમ:- આવર્તકોષ્ટકમાં ૧૨  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 24 છે...મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતાં તે સફેદ જ્યોત સાથે સળગે છે..અને સફેદ રાખ મળે છે....મેગ્નેશિયમની સંજ્ઞા Mg છે....મેગ્નેશિયમની ઈલેક્ટ્રોન રચના (2,8,2) છે..મેગ્નેશિયમ ધાતુ 2  ઈલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના ગુમાવીને ધનાયન બનાવે છે..અને Mg+2 આયન બનાવે છે..

.      

13...એલ્યુમિનીયમ:-- આવર્તકોષ્ટકમાં 13  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 26  છે...એલ્યુમિનિયમ ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક છે...એલ્યુમિનીયમની ઈલેક્ટ્રોન રચના (2,8,3) છે...તેની બાહ્ય કક્ષામાં 3 ઈલેક્ટ્રોન છે..તે nઈલેક્ટ્રોન ગુમાવી ધનાયન બનાવે છે....એલ્યુમિનીયમ ધાતુ છે...એલ્યુમિનિયમની સંજ્ઞા Al છે..


14...સીલીકોન :-- આવર્તકોષ્ટકમાં 14 નંબરનું તત્વ છે...પરમાણુંભાર  28 છે....સીલીકોન રેતીમાંથી મેળવવામાં આવે છે...સીલીકોનની ઈલેક્ટ્રોન રચના (2,8,4) છે..સીલીકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઈલેક્ટ્રોન છે...સીલીકોનનો  ઉપયોગ સોલાર સેલ બનાવવામાં  થાય છે...સીલીકોન અર્ધધાતુ છે....સીલીકોનની સંજ્ઞા Si છે...   


15...ફોસ્ફરસ:- આવર્તકોષ્ટકમાં 15  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 30  છે...ફોસ્ફરસનો ઉપયોગ દીવાસળી બનાવવા માટે થાય છે..ફોસ્ફરસની ઈલેક્ટ્રોન રચના (2,8,5) છે..બાહ્યતમ કક્ષામાં 5 ઈલેક્ટ્રોન છે...

   

16...સલ્ફર:-- આવર્તકોષ્ટકમાં 8 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 16 છે...સલ્ફર પાવડરનો ઉપયોગ  પેટ્રોલમાં પણ કરવામાં આવે છે...સલ્ફરના દહનથી  સલ્ફર ડાયોક્સાઈડ ઉત્પન્ન થાય છે...સલ્ફર ડાયોક્સાઈડ આકાશમાં ધૂમાડા સ્વરૂપે ભેગો થાય છે...સલ્ફર ડાયોક્સાઈડ હવામાંના ભેજ સાથે સંયોજાઈને સલ્ફ્યુરિક એસીડ બને છે..આજ સલ્ફ્યુરિક એસીડ વરસાદ સ્વરૂપે પાછો ધરતી પર આવે છે..  


17..ક્લોરીન:--આવર્તકોષ્ટકમાં 17  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 35.5  છે...ક્લોરીન અધાતુ છે..ક્લોરીન એ જંતુનાશક છે..કલોરીનની ઈલેક્ટ્રોન રચના (2,8,7) છે...બાહ્યતમ કક્ષામાં 7 ઈલેક્ટ્રોન છે..અધાતુ હોવાથી 1 ઈલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને છે....


18.આર્ગોન:--  આવર્તકોષ્ટકમાં 18 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 36 છે... આર્ગોન નિષ્ક્રિય વાયુ છે...આર્ગોન પણ નિષ્ક્રિય વાયુ હોવાથી કોઈ પણ સંયોજન બનાવતું નથી...આર્ગોનની ઈલેક્ટ્રોન રચના (2,8,8) છે...આર્ગોન લેમ્પમાં ભરવામાં આવે છે..


19..પોટેશિયમ:-- આવર્તકોષ્ટકમાં 19  નંબરનું તત્વ છે...પરમાણુંભાર 38  છે..પોટેશિયમ આલ્કલી ધાતુ છે..પોટેશિયમની સંજ્ઞા K છે...પોટેશિયમની ઈલેક્ટ્રોન રચના (2,8,1) છે....પોટેશિયમ બાહ્ય કક્ષામાં 1 ઈલેક્ટ્રોન ધરાવે છે..પોટેશિયમ બાહ્ય કક્ષામાંથી 1 ઈલેક્ટ્રોન ગુમાવીને K+ બને છે..        

20...કેલ્શિયમ:-- આવર્તકોષ્ટકમાં 20 નંબરનું તત્વ છે...પરમાણુંભાર 16 છે…કેલ્શિયમની ઈલેક્ટ્રોન રચના (2,8,1) છે...કેલ્શિયમ બાહ્યતમ કક્ષામાંથી 2 ઈલેક્ટ્રોન ગુમાવીને ધનાયન  બનાવે છે.. આમ કેલ્શિયમ ધાતુ તત્વ છે...કેલ્શિયમના સંયોજનો : ૧...CaO ( કેલ્શિયમ ઓકસાઈડ )....2... CaCO3 ( કેલ્શિયમ કાર્બોનેટ)         

 





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...