સોમવાર, 29 મે, 2023

                     મારો નવો લેખ .... બુદ્ધિશાળી... હજુ પણ અમારી વિચારવાની શક્તિ અદભૂત છે...                             

.......એક અમેરિકન જોડે વાત થઈ....કોણ બુદ્ધિશાળી અમેરીકન કે ભારતીય...મારે પણ માથું ઊંચું કરીને કહેવું પડ્યું...ભારતીય ...શું તમારી પાસે એડીસન અને આઈનસ્ટીન જેવા મહાન વૈજ્ઞાનિકો એટલે તમે બુદ્ધિશાળી ...ના ...કાશ આવા શક્તિશાળી મગજોએ તમારા દેશને બનાવ્યો ખરો .....તમારી શોધો અજોડ છે....પણ અમારા દેશમાં આ મહાન વિભૂતિઓનો જન્મ તો શું નામ પણ લોકો જાણતા નથી...છતા પણ અમને ગર્વ છે....કે એડીસને શોધેલો બલ્બ આજે પણ ખેતરમાં કયાં પ્રકાશિત થતો હોય....અમારા દેશના શક્તિશાળી મગજો તમારી તકનીકી કંપનીઓના CEO હોય...ઉદા...ગૂગલના CEO સુંદર                 પિચાઈ....માઈક્રોસોફ્ટના CEO સત્યા નાડેલા .....જ્યાં આલ્બર્ટ આઈનસ્તાઈને પેન્સિલ અને કાગળનો ઉપયોગ કરીને સમગ્ર બ્રહ્માંડના ગૂઢ  રહસ્યો ઉકેલી નાખ્યા ....તમે તો પેન પણ છોડી અને કાગળ ....અને આવ્યા સીધા  કી બોર્ડ  પર...તમારી વિચારવાની જે અદભૂત શક્તિ હતી ...તે તમે ગુમાવી ચુક્યા છો...જયારે અમે હજુ પણ પેન, પેન્સિલ અને કાગળનો ઉપયોગ કોમ્પ્યુટર કરતા પણ વધુ કરીએ છીએ ...તમારી મેથ્સ competition સ્પર્ધામાં પણ કોઈ ભારતીય વિધાર્થી જ અવ્વલ હોય છે...સાબિતી એ છે અમે હજુ વિચારવાનું ચાલુ રાખ્યું છે...અમારાય મહાન વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ છે...ઉદા...શ્રીનિવાસ રામાનુજમ (અનંતનો અંતેવાસી) અને ડૉ. અબ્દુલ  કલામ .....કોઈ ભારતીય આટલા ફેમસ ગણિતશાસ્ત્રી હોય શકે....હ્યુમન કોમ્પ્યુટર શકુંતલા દેવી.....અમારી વિચારવાની શક્તિ જ અદભૂત છે.....કાશ એડીસન અને આલ્બર્ટ આઈનસ્તાઈન જેવા શક્તિશાળી મગજોના જીવનમાં અમે ડોકિયું તો કરી શકીએ છીએ.....હજુ પણ અમારી વિચારવાની શક્તિ અદભૂત છે...ગણિતશાસ્ત્રના પિતા આર્યભટ્ટ કે જેમણે શૂન્ય (૦) વિશ્વને આપ્યું...કેમ અમેરિકાએ આ શોધીને ન આપી શક્યું .......હજુ પણ અમારી વિચરવાની શક્તિ અદભૂત છે....જય હિન્દ...જય ભારત ..જય વિજ્ઞાન....(ક્રમશ:) ....સંખ્યાપદ્ધતિ આપનાર જ ભારત ...તો કોડિંગ આપનાર તમે.....૦(શૂન્ય) વગરની દુનિયા અશક્ય છે...તથા અમારી પાસે દુનિયાનું  સર્વશ્રેષ્ઠ બુદ્ધિધન છે....આર્યભટ્ટ નામના મહાન ગણિતજ્ઞએ “પાઈ(π)”નું મૂલ્ય આપ્યું...શું અમે દુનિયાને સર્વશ્રેષ્ઠ આપવાની કોશિશ  કરી નથી....ભારતમાં જન્મ લેનાર મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજમ આંકડાના અઠંગ અભ્યાસુ હતા.....નાગાર્જુને પારાને બાળીને રસી બનાવી હતી...અમે કોઈ પણ દેશ પાસે  તકનીકીની અપેક્ષા રાખી નથી...કે કોઈ દેશની તક્નીકિની  “COPY”   “ PASTE “ કરી નથી.....ભારત એક યુવાનોનો દેશ છે...હજુ અમારી વિચારવાની શક્તિ અદભૂત છે.....આર્યુવેદ આપનાર ચરક...વાઢકાપ કરવાની પદ્ધતિ અમારી.....તમે દુનિયાનો સૌથી મોઘો ફોન બનાવ્યો ખરો..પણ એનું  કોડીંગ ...સંખ્યામાં છે....આ જ સંખ્યાપદ્ધતિ આપનાર અમે...અમારી પાસે ૧૯૪૭ નુ   ભારત કે જે દેશ પાસે જવાબો કરતાં સવાલોની સંખ્યા વધુ હતી..એક સામે બીજા 10 સવાલો  ઉભા થાય....તમારી પાસે વિશ્વના બે મહાન વૈજ્ઞાનિકો એક સૈદ્ધાંતિક (આલ્બર્ટ આઈનસ્તાઈન) અને બીજા  પ્રેક્ટીકલી વૈજ્ઞાનિક ( થોમસ આલ્વા એડીસન).....અમારા વૈજ્ઞાનિકોએ પણ  રાત-દિવસ મહેનત કરીને દેશને નવી દીશા આપી...અમારું મંગળયાન તમારી એક હોલીવૂડની ફિલ્મના બજેટ કરતાં પણ ઓછા ખર્ચે બનેલું અને પ્રથમ પ્રયત્ને જ અવકાશમાં સફળ રીતે ઉતરાણ કરાયેલું...રશિયા,ચીન સહીત દેશોએ ૮ – ૮ વાર પ્ર્રયાસો કર્યા છતાં પણ તે દેશો નિષ્ફળ રહ્યા....શું અમે અમારિ વિચારવાની અદભૂત શક્તિ ગુમાવી દીધી છે...ના.... જય ભારત..જય વિજ્ઞાન... 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...