શનિવાર, 13 મે, 2023

                        ભાગ – 8   DATE: 29/8/2020

 

આલ્બર્ટ આઈનસ્ટાઈનની સૈધ્ધાંતિક થીયરી બે ભાગમા રજૂ કરવામા આવી હતી. (1) સ્પેશિયલ થીયરી ઓફ રીલેવિટી (2) જનરલ થીયરી ઓફ રીલેવિટી  

 વિજ્ઞાનજગતના તે  વખતના અનેક આશ્ચર્ય વચ્ચે   આલ્બર્ટ આઈનસ્ટાઈને 1905મા “ સ્પેશિયલ થીયરી ઓફ રીલેવિટી ” અને 1915મા “ જનરલ થીયરી ઓફ રીલેવિટી “ રીતસરની  લોંચ કરીન સર આઈઝેક ન્યૂટનના ગુરુત્વાકર્ષણના અને ગતિના ત્રણ નિયમોના  છક્કા છોડાવી દીધા હતા. આપણે સમજવાની શરૂઆત “  સ્પેશિયલ  થીયરી  ઓફ રીલેટીવીટી “  થી કરીશુ. મિત્રો , ઘણુ જ ચવાઈ ગયેલુ સૂત્ર   અને વિજ્ઞાન જેના હદયમા વસી ગયુ હોય તેવા E=mc2  તેનો  સમાવેશ “ સ્પેશિયલ થીયરી ઓફ રીલેવિટી “ મા  સમાવેશ થાય છે. આ  સૂત્રમા જ બ્રહ્માંડનો સાર રહેલો છે. મિત્રો , કહેવાય છે કે આટલા નાના  સૂત્રએ કમાલ કરી દીધી છે.   “ special theory of relativity ના છેલ્લા પાના પર આ સૂત્ર કોઈ ખૂણામા આઈનસ્ટાઈને નાખી દિધુ હતુ “ આ જ સૂત્રએ અમેરિકાને મહાસતા બનાવી દીધી  “પરમાણુબોંબ” બનાવી. એક નાના સૂત્રએ આઈનસ્ટાઈનને “ સદીઓના મહાન વૈજ્ઞાનિક “ બનાવી દીધા. “ જીનીયસ સદીઓમા એક જ વાર પેદા થાય છે “ માત્ર ગણિત અને ભૌતિકશાસ્ત્રમા જ રસ દાખવનાર “જીનીયસ” છ વર્ષ સુધી  બોલી શકતા ન હતા. પણ આખી દુનિયાને સાપેક્ષવાદ  પર વિચાર કરતા મુકી દીધા.. આઈનસ્ટાઇન અને  એડીસન બન્નેને તેમની શાળાઓએ “ ઠોઠ નિશાળિયા” નુ પ્રમાણપત્ર આપી દીધુ હતુ .  છતા કહેવાય છે  એક “ સૈધ્ધાંતિક જીનીયસ “ અને બીજા “ પ્રેક્ટીકલી જીનિયસ “ વધુ  આવતી કાલે મનન કરજો.... તમારા ફીડબેક આવકાર્ય છે.. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...