શનિવાર, 13 મે, 2023

 


                              ભાગ – ૯   DATE: 30/8/2020  


 “  આપણને આકાશમા  તારાઓ જે જગ્યાએ દેખાય  છે ,તે જગ્યાએ નથી   પણ લાખો પ્રકાશવર્ષ પહેલા છોડેલો પ્રકાશ  છે. “ - - આઈનસ્ટાઇન       

મિત્રો , “અંતર અને સમય એકબીજાથી સ્વતંત્ર છે “ આ બાબતમા ન્યૂટન સદંતર ખોટા પડ્યા છે. આઈનસ્ટાઈનના મત મુજબ. આઈનસ્ટાઈને જૂન,૧૯૦૫મા “ON THE ELECTRODYNAMICS OF MOVING BODIES”  એવા શીર્ષક હેઠળ “ SPECIAL THEORY OF RELATIVITY”  સમક્ષ  લાવ્યા ત્યારે ભૌતિકવિજ્ઞાનીઓ ચોંકી ગયા હતા. આ થીયરી કોઈ પ્રેક્ટીકલ રીતે ચકાસવી શક્ય ન હતી. માત્ર ને માત્ર તે ગાણિતિક સામીકરણો વડે જ ચકાસી શકાય તેવુ હતુ. વીસમી સદીનો આરંભ થઈ ચૂક્યો હતો. તે જમાનામા આજના સમયના “ સુપરકોમ્પ્યુટર “ ન હતા. તથા આજના  જેવી હાઈ-લેવલની  પ્રયોગશાળાઓ પણ ન હતી ( અને આજે છે તો “ કોરોનાની દવા” પણ શોધી શકાતી   નથી.) હવે , મૂળ વાતપર આવીએ. અંતર- સમય – ગતિ વચ્ચેનો સંબધ  “સાપેક્ષવાદ” ઉજાગર કરે છે. ઉદા. બે વસ્તુ એક સાથે નીચે પડે છે ત્યારે સ્થીર વ્યક્તીને એક સાથે જમીન પર પડતી દેખાસે પરંતુ ગતિમાન વ્યક્તિને બન્ને વસ્તુ એક સાથે પડતી દેખાશે નહી. વસ્તુનુ અવલોકન સાપેક્ષ રીતે કરે છે.  આપણે કોઇ રસપ્રદ ફિલ્મ જોઇએ છે ત્યારે 3 કલાકનો સમય પસાર થઈ જશે તો માલૂમ નહી પડે. પણ જો ૩ કલાકનુ બોરીંગ લેક્ચર હોય તો............  આજ છે સાપેક્ષવાદ ....   

 વધુ  આવતી કાલે મનન કરજો.... તમારા ફીડબેક આવકાર્ય છે..       


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...