ભાગ – 28 DATE: 24/9/2020
ફોટોઈલેક્ટ્રીક અસર – આ શોધ માટે “ મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઇન “ ને નોબેલ પારિતોષિક મળ્યો હતો. ..... ફોટોઈલેક્ટ્રીક અસર સમજવા માટે નીચેની બાબતો સમજવા જેવી છે
સિલિકોનનો પરમાણુક્રમાંક 14 છે. તેની ઈલેક્ટ્રોન રચના (2,8,4) છે.તેની બાહ્યતમ કક્ષામા 4 ઈલેક્ટ્રોન છે. સિલિકોન ધાતુ છે.તેની સંજ્ઞા Si છે.
બોરોનનો પરમાણુક્રમાંક 5 છે. તેની ઈલેક્ટ્રોન રચના ( 2,3) છે. તેની બાહ્યતમ કક્ષામા 3 ઈલેક્ટ્રોન છે. બોરોન પણ ધાતુ છે. માટે તે 3 ઈલેક્ટ્રોન ગુમાવી ધનવીજભાર મેળવે છે. તેની સંજ્ઞા B છે.
ફોસ્ફરસનો પરમાણુક્રમાંક 15 છે. તેની ઈલેક્ટ્રોન રચના (2,8,5) છે. તેની બાહ્યતમ કક્ષામા 5 ઈલેક્ટ્રોન છે. ફોસ્ફરસ અધાતુ છે. તેની સંજ્ઞા P છે.
સર આઈઝેક ન્યૂટને કયુ હતુ કે “ પ્રકાશ સાત રંગોનો બનેલો છે "
આલ્બર્ટ આઈનસ્ટાઇને કહ્યુ હતુ “ સૂર્યમાથી આવતો પ્રકાશ તે “ ઉર્જાના પેકેટ “ છે.
ભૂરા રંગના તારાનું તાપમાન વધુ હોય છે, તેમાં ઉર્જા વધુ હોય છે. લાલ રંગના તારાનું તાપમાન ઓછું હોય છે. તેમાં ઉર્જા ઓછી હોય છે. લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસનુ દહન થાય છે ત્યારે તે હન્મેશા ભૂરા રંગની જ્યોત પેદા થાય છે.એટલે સંપૂર્ણ દહન થાય છે. જ્યારે કોઈ વસ્તુ કે પદાર્થનુ અપૂર્ણ દહન થાય ત્યારે પીળા રંગની જ્યોત પેદા થાય છે.
આ બધી ઘટનાઓ સૌ પ્રથમ સમજવી જરૂરી છે.
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો