ભાગ – 27 DATE:22/9/20
E =mC2
ત્યારબાદ, આપણે સૌને ખબર છે કે અમેરિકાએ આ જ સૂત્રની મદદથી રાષ્ટ્રપતિ ફ્રેSSન્કલીન રૂઝવેલ્ટનાં શાસનકાળ દરમ્યાન અમેરિકન વૈજ્ઞાનિક જે.ઓપનહેઈમરની દેખરેખ હેઠળ પ્રથમ એટમબોંબ બનાવાનું શરુ કર્યું. આજ ગાળામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. જાપાને બીજા વિશ્વયુદ્ધમાં તટસ્થ રહેલા અમેરિકાના પર્લહાર્બર બંદર પર હૂમલો કર્યો. વળતા, અમેરિકાના નવા પ્રમુખ હેરી ટ્રૂમનાં શાસનકાળમાં “ લિટલબોય “ તરીકે ઓળખાતા યુરેનિયમ બોંબને અમેરિકાના બી-29 વિમાને હિરોશિમાના આકાશમાં પેરેશૂટ વડે 6 – 8 – 1945નાં રોજ મુક્ત કર્યો.અને આશરે 5000 ડિગ્રી C નાં તાપમાને થયેલા ધડાકાએ હિરોશિમા શહેરને ખેદાન –મેદાન કરી દીધું. આગળનાં ત્રણ દિવસ પછી 9-8-1945નાં રોજ નાગાસાકીનાં આકાશમાં “ ફેટમેન “ નામનો પ્લુટોનિયમ – 229 અણુબોંબ ઝીંક્યો. બંને શહેરોના કુલ 8૦૦૦૦ કરતા વધુ લોકો માર્યા ગયા.
આ “ ઉર્જા = દ્રવ્યમાન X પ્રકાશના વેગનો વર્ગ “ સૂત્રની સૌથી મોટી સાબિતી હતી. આ પૂરાવો માનવજત માટે એક કાયમી અસહ્ય પૂરાવો જ રહ્યો. આજે પણ હિરોશીમા અને નાગાસાકીની પરિસ્થીતી એવી છે કે ત્યા ખોડખાંપણ વાળા બાળકો જન્મ લે છે તેનો દર વધુ છે. અણુબોંબની વિઘાતક અસરો હજુ સુધી વર્તાય છે. યુ.એન.નેશંસે “ પરમાણુસંધી”
લાવવાની જરૂરિયાત ઉભી થઈ. આઈનસ્ટાઈનને છેક મૃત્યુ સુધી આ ઘાતક ઘટનાનુ મનદુખ રહ્યુ. અને આ માટે પોતાની જાત્ને જવાબદાર ગણાવ્યા. કારણ કે, ઉર્જા = દ્રવ્યમાન x પ્રકાશવેગ વર્ગ એનેરીકો ફર્મી , ઓટોહોન , લીઝ માઈટનર , જે. ઓપનહેમર વગેરે વૈજ્ઞાનીકોના મગજમાં “ અણુબોંબ “ ના બીજ વાવ્યા હતા.
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો