શનિવાર, 13 મે, 2023

 ભાગ – 29   DATE: 3/10/2020


ફોટોઈલેક્ટ્રીક અસર


 સ્વિટઝરલેંડની ઓફીસમા ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 26 વર્ષના આઈનસ્ટાઈંને 1905મા ચાર અભ્યાસપત્રો લખ્યા. ત્રીજા સંશોધન પત્રમા પ્રકાશના કાણોના માર વડે સર્જાતી ફોટોઈલેક્ટ્રીક અસરનો સિંધ્ધાંત આપ્યો. અને ચોથુ પેપર દુનિયાના વિશાળ સૂત્ર ઉર્જા = દ્રવ્યમાન x  પ્રકાશનો વેગનો વર્ગ અંગેનુ હતુ. ફોટોઈલેક્ટ્રીક અસરનો સિધ્ધાંત આઈનસ્તાઈનને ક્રાંતિકારી જણાયો હતો . આ સિદ્ધાંતને 1921 માં ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક મળવાનું હતું. ફોટોઈલેક્ટ્રીક ઈફેક્ટ સ્વયંસંચાલિત ઉપગ્રહો,ડીજીટલ કેમેરા, સોલાર કેલ્ક્યુલેટર અને સોલાર પાવર સીસ્ટમ દરેક જગ્યાએ ઉપયોગી છે.

આઈનસ્ટૈનએ કહ્યું કે “ સૂર્યમાંથી આવતો પ્રકાશ ઉર્જાના પેકેટો છે “ શરૂઆતમાં વૈજ્ઞાનિકો પ્રકાશને મોજા સ્વરૂપે 

જ માનતા હતા. પરંતુ આઈનસ્ટાઇને કહ્યું કે “ પ્રકાશ એ કણો સ્વરૂપે હોય છે. અને ચારે તરફ ફેલાય છે. ધારો કે બલ્બમાથી આવતો પ્રકાશ તે  મોજા છે ? નાં તે કણોનું સ્વરૂપ છે.  પ્રકાશ તે  તરંગ સ્વરૂપે હોય અને કણ સ્વરૂપે હોય. આલ્બર્ટ આઈનસ્ટાઈને ૩૦૦ જેટલા સૈધાંતિક સંશોધન પત્રો લખ્યા છે. અને માત્ર પેન્સિલ અને  કાગળનો ઉપયોગ કરી  થીયરી પર થીયરી  રજૂ કરીને  પોતાની મહાનતા સાબિત કરી છે. મહાન વૈજ્ઞાનિક પોતાની શોધોને કારણે લોક જગતનાં હદય પર રાજ કરે છે.

વધુ  આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..                        


                       


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...