ભાગ – 25 DATE: 18/9/2020
E =mC2
અણુવિભાજન : યુરેનિયમ- 235 એ યુરેનિયમનો આઈસોટોપ છે. જે 0.72% ની આસપાસ કુદરતી યુરેનિયમ બનાવે છે. યુરેનિયમ – 238 મા યુરેનિયમ- 235ની માત્રા 0.72% જેટલી હોય છે. હજારો ટન યુરેનિયમ- 238 નુ શુધ્ધીકરણ કરો ત્યારે માંડ યુરેનિયમ-235નો જથ્થો મળે છે . યુરેનિયમ-235 ના કેન્દ્રમાં 92 પ્રોટોન અને 143 ન્યૂટ્રોન હોય છે. યુરેનિયમનું – 235નુ પરમાણુદળ = 92+ 143 = 235 થાય. યુરેનિયમનું પરમાણુદળ = 235 અને પરમાણુક્રમાંક= 92 છે. યુરેનિયમ-235 વિખંડન પ્રક્રિયા માટે સર્વશ્રેષ્ઠ છે. યુરેનિયમ – 235 પર ન્યૂટ્રોનનો મારો ચલાવવામાં આવે એટલે ચેઈન રિએકશન શરૂ થાય છે. અને અખૂટ ઉર્જા પેદા થાય છે. આ ચેઈન રિએકશનને કંટ્રોલ કરવા માટે મંદક તરીકે હેવીવોટર ( ડ્યૂટેરીયમ ઓક્સાઈડ = D2O) નો ઉપયોગ કરવામાં આવે છે. યુરેનિયમના અણુવિભાજનથી અખૂટ વિદ્યુતઉર્જા પેદા થાય છે. ભારતનુ પ્રથમ રીએક્ટર “ અપ્સરા “ છે. યુરેનિયમ,થોરિયમ અને પ્લૂટોનિયમ આ પ્રકારના ઉર્જાસ્ત્રોતો છે.યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતા 10 મિલિયન ( 1 કરોડ) ગણી હોય છે.
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો