ભાગ – 14 DATE: 4/9/2020
અભ્યાસ વસ્તુઓનુ જ્ઞાન મેળવવાનુ નહી પણ મગજને વિચારવાની ટ્રેનીંગ આપવા જેવુ છે – આલ્બર્ટ આઈનસ્ટાઈન
“ ટાઈમટ્રાવેલ” શુ છે આ “ સમયયાત્રા” ભવિષ્યની પેઢી સમયયાત્રા કરી શકે ? આલ્બર્ટ આઈનસ્ટાઈન બ્રહ્માંડમા “ સાપેક્ષવાદની થીયરી “નો એક મોટો ખડક મૂકીને ગયા છે. ન્યૂટન , આઈનસ્ટાઈન કે સ્ટીફન હોકીંગ હયાત નથી. હોકિંગે 14 માર્ચ, 2018 મા આ દુનિયામાથી વિદાય લીધી છે. આ કોયડો કદાચ ગૂંચવાતો હોય એવુ લાગે છે. પણ “ સમયયાત્રા” સંભવ છે કે નહી આપણે કહી ના શકીએ. “સમયયાત્રા” = “ટાઈમટ્રાવેલ “ આના સંદર્ભમા એક ઉદા જોઈએ. “ પદાર્થની ઝડપ વધતી જાય તેમ સમય ધીમો પડતો જાય છે. “ ધારો કે એક સોસાયટીના 2 મિત્રોએ દૂર અવકાશમા ગેલેક્સી પર જવાનુ અને ત્યા સંશોધન કરી પછા આવવાનુ ગોઠવ્યુ છે. જેમની ઉન્મર પૃથ્વી પર રહેલા તેમની સોસાયટીના 2 મિત્રો જેટલી છે. એટલે કે 15 વર્ષ છે. તેમના માટે એક ખાસ અવકાશયાન તૈયાર કર્યુ છે .જેની ઝડપ 2.94,000 km/sec છે. આ યાન 2016મા અવકાશમા પ્રવેશ કરે છે અને 1 વર્ષ પસાર કરે છે . હવે, 1 વર્ષ પછી પૃથ્વીની સાપેક્ષમા કેટલો સમય પસાર થયો. તે આ સૂત્ર ધ્વારા મળશે.
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો