શનિવાર, 13 મે, 2023

 ભાગ – 12   DATE: 2/9/2020 


જીનીયસ = 1% ટેલેંટડ , 99 % = આકરી મહેનત   


ઉદા.ધારો કે ,ગોપાલ 9 પ્રકાશવર્ષ છેટે આવેલો તારાની મૂલાકાતે જવા માટે યાનમા બેઠો છે , જ્યારે તેનો મિત્ર રમેશ ધરતી પર સ્થિર છે. “ સમયયાત્રા”નો લાભ ગોપાલને મળશે.કારણ કે તે સ્પેશમા યાત્રા કરવાનો છે. ધારો કે યાનની ઝડપ ગોપાલે પ્રકાશવેગના 90% રાખી છે. તો સમય ગોપાલ માટે ધીમો પસાર થાય છે. એટલે કે ગાણિતીક ગણિતરી મુજબ પૃથ્વી પરના નોર્મલ સમયની તુલનાએ સમયની રફ્તાર 85% સુધી ઘટી જાય છે. પૃથ્વીથી તારો 9 પ્રકાશવર્ષ દૂર છે. ગોપાલના યાનની ગતિ 90% જેટલી છે. માટે, રમેશના  અનુમાન અનુસાર  10 વર્ષે ગોપાલ તારા પર પહોંચી જશે. પણ ગોપાલ માટે સમય ધીમો પડ્યો છે.ગોપાલના હિસાબે 10 વર્ષને બદલે 6 વર્ષ પસાર થાય છે. આ 6 વર્ષ દરીમ્યાન ગોપાલે પૃથ્વી અને તારા વચ્ચેનુ કાપેલુ અંતર 0.9 x 6 = 5.4 પ્રકાશવર્ષ છે. જ્યારે પૃથ્વી અને તારા વચ્ચેનુ  અંતર રમેશે 9 પ્રકાશવર્ષ રાખેલુ છે. માટે , ઘટેલુ અંતર = 9 -5.4= 3.6 પ્રકાશવર્ષ છે. માટે, સમયનુ અહી 0.6ના ગુણકમા વિસ્તરણ થયુ તો સ્પેશનુ 0.6 ના ગુણકમા સંકોચન થયુ.  → સમય સ્વતંત્ર છે અને તટસ્થ છે. અહી ન્યૂટને થાપ ખાધી છે. જ્યારે આઈનસ્ટાઈન અહી “ સાચા” સાબીત થાય છે.  આગળ વિચારીએ , જ્યારે પૃથ્વી પરથી સ્પેશશટલ અવકાશમા  મોકલવામા આવે છે ત્યારે સ્પેશશટલે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણબળને ભેદીને અવકાશમા પ્રયાણ કરવાનુ હોય છે. પણ જ્યારે અવકાશમા પહોંચે છે ત્યારે ( ગ્રહને લક્ષમા ન લેતા) ગુરૂત્વાકર્ષણ બળ હોતુ નથી. પરીણામે શક્ય છે કે સમય ધીમો પડે છે. કહેવાનો મતલબ છે કે “ સમય પર

ગુરૂત્વાકર્ષણબળની અસર પડે છે . “  વધુ  આવતી કાલે મનન કરજો.... તમારા ફીડબેક આવકાર્ય છે..  

                               


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

♦️પૃથ્વી વિશે જાણી ➖ અજાણી વાતો ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 👉 વૈજ્ઞાનિકોના મત મુજબ, પૃથ્વીની કુલ ઉંમર 4.6 અબજ વર્ષો હોવાનો અંદાજ છે 👉 સૂર્યમંડળમાં, પૃથ...