ભાગ – 18 DATE: 9/9/2020
NEWTON VS EINSTIEN નથી હવે માત્ર આલ્બર્ટ આઈનસ્ટાઈન છે. આ માઈંડ બ્લોઈંગ થીયરીનો હજુ અંત તો આવ્યો જ નથી. કારણ કે, બ્રહ્માંડ જેમા સમાઈ જાય તેવુ એક સૂત્ર “ E = mc2 ( c2 = પ્રકાશના વેગનો વર્ગ ) “ આઇનસ્ટાઇને “ સ્પેશિયલ થીયરી ઓફ રીલેવિટી “ ના છેલ્લા પાન પર કોઈ ખૂણામા નાખી દીધુ હતુ. શુ આઈનસ્ટાઈનને અગાઉથી અહેસાસ હતો કે એક જ ઘટના માટે આ સૂત્ર ઘણૂ જોખમી પૂરવાર થવાનુ છે. એક ઘટના માટે......આઈનસ્ટાઈનનુ આ સૂત્ર “ દ્રવ્યમાનનુ ઉર્જામા અને ઉર્જાનુ દ્રવ્યમાનમા પણ રૂપાંતર થઈ શકે છે.” “ સ્પેશિયલ થીયરી ઓફ રીલેટીવીટી “ ના મુખ્ય તારણો નીચે મુજબ છે.
ટાઈમ અને સ્પેસ એક્બીજાથી સ્વતંત્ર નથી. પણ “ સ્પેસટાઈમ “ છે.
અવકાશમા સમય ધીમો પડવાનુ કારણ “ ગુરૂત્વાકર્ષણ બળ” સાથે સબંધીત છે.
પ્રકાશની ગતિ અફર છે. પ્રકાશના વેગમા વધ – ઘટ થતી નથી.
પ્રકાશવેગ કરતા વધુ ઝડપ ધરાવતુ અવકાશયાન હોય તો સમયમા ઘટાડો થાય છે. આટલી અમાપ ઉર્જાવળુ યાન શક્ય નથી. કારણ કે પદાર્થની ગતિમા વધારો થાય તેમ દળમા વધે છે. પરીણામે ઉર્જાની ખપતમા વધારો થાય છે.
ન્યૂટનના બ્રહ્માંડમા ઉર્જા અને પદાર્થ વચ્ચે કોઇ સંબંધ નથી. જ્યારે આઈનસ્ટાનના બ્રહ્માંડમા ઉર્જા અને પદાર્થ વચ્ચે સંબંધ છે.
પૃથ્વી પર સમય નોર્મલ અથવા સામાન્ય છે. જ્યારે , અવકાશમા સમય નોર્મલ નથી.
પ્રકાશનો વેગ નિરપેક્ષ છે જ્યારે અંતર અને સમય સાપેક્ષ છે.
વધુ આવતી કાલે મનન કરજો...તમારા ફીડબેક આવકાર્ય છે..

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો